મોરબી: શ્રી જુના દેવળીયા ઉમાં પરિવાર મોરબીનું ચતુર્થ સ્નેહમિલન તા.29/12/2024 ના રોજ બપોરે 3 કલાકે રાધે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે યોજાશે.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં કે. જી. થી ધોરણ 5 સુધીના તમામ બાળકો માટે રમત ગમત, ધોરણ 6 થી 8 ના બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધોરણ 9 થી કોલેજના બાળકો માટે વક્તવ્યનું આયોજન કરેલ છે. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન મહાદાનની પંક્તિને સાર્થક કરવા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે. કાર્યક્રમના અંતે તમામ પરિવારજનો માટે ભોજનનું આયોજન કરેલ છે.