મોરબી : મોરબીના નહેરૂગેટ ચોક પાસે આજે અમિશ જય બહાદુર નામનો નેપાળી પરિવારનો બાળક પરિવારથી વિખૂટો પડી ગયો હતો. આ અંગે જાણ થતાં ટ્રાફિક પીએસઆઈ ડી.બી. ઠક્કર, ટ્રાફિક બ્રિગેડના ફારૂકભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી બાળકના વાલીને શોધી બાળકને તેને સોંપી દીધો હતો. આમ ખોવાયેલ બાળક મળી જતા પરિવારે ટ્રાફિક પોલીસનો આભાર માન્યો હતો.












