Sunday, July 27, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiલાતીપ્લોટની દરેક નાની મોટી સમસ્યા માટે અડધી રાત્રે પણ જાણ કરવા વેપારીઓને...

લાતીપ્લોટની દરેક નાની મોટી સમસ્યા માટે અડધી રાત્રે પણ જાણ કરવા વેપારીઓને હૈયાધારણા આપતા અજય લોરીયા

રોડનું કામ પુરૂ ન થાય ત્યાં સુધી હું દર અઠવાડિયે અહીં આટો મારીશ, આપણી મહાપાલિકા તમામ કામ કરવાની જ છે

મોરબી : મોરબીમાં જન આંદોલનો દરમિયાન પ્રજાની વચ્ચે આવનાર અને કામોની ખાતરી આપનાર ભાજપના યુવા આગેવાન અજય લોરીયાએ છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ જગ્યાએ સ્વખર્ચે મશીનો મંગાવી કામોમાં લગાડ્યા છે. તેવામાં તેઓ આજે લાતી પ્લોટના વેપારીઓને મળવા પહોંચ્યા હતા. અને રાત્રે બે વાગ્યે પણ કામ માટે ફોન કરવાની ધરપત આપી હતી.

લાતી પ્લોટની દુર્દશાને કારણે થોડા દિવસ પહેલા જ વેપારીઓએ શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. જો કે ત્યારે ડેપ્યુટી કમિશનરે કાદવ- કિચડ વાળા રસ્તે ચાલી લાતી પ્લોટની બદતર હાલત નિહાળી કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. આ દરમિયાન આજે અજય લોરીયાએ લાતી પ્લોટના વેપારીઓની મુલાકાત લીધી હતી. અજય લોરીયાએ વેપારીઓને કહ્યું હતું કે કંઈ પણ નાનું – મોટું કામ હોય રાત્રે 2 વાગ્યે મને ફોન કરજો. હું આપના પ્રશ્નનું નિરાકરણ લાવીશ. આ માટે ક્યારેય પણ ચેક કરવું હોય તો પણ રાત્રે ગમે ત્યારે ફોન કરજો.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે મહાપાલિકા આવી છે તે બધા કામ કરવાની જ છે. આ બધા કામ ભાજપની સરકારમાં જ થવાના છે. એટલે કોઈ પક્ષ વિરોધી કે રાજકીય વાતો કરવાનો કોઈ જ અર્થ નથી. અંતમાં તેઓએ કહ્યું કે જ્યાં સુધી રોડ નહિ બને હું દર અઠવાડિયે અહીં આંટો મારવા આવિશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments