Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર આમ આદમી પાર્ટીમાં ભંગાણ, વીસેક હોદેદારો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

વાંકાનેર આમ આદમી પાર્ટીમાં ભંગાણ, વીસેક હોદેદારો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

વાંકાનેર : આજ રોજ વાંકાનેર કૉંગ્રેસ કાર્યાલય ખાતે આમ આદમીના 20 જેટલા હોદેદારો, કાર્યકરો દ્વારા પુર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના હસ્તે વિધિવત રીતે કૉંગ્રેસમાં જોડાયા જેમાં યાકુબ માથકિયા, તાલુકા પંચાયત ના પૂર્વ બે ઉમેદવાર ઇર્ષાદભાઈ બાદી, નજુભાઈ કડીવાર, શાકિરભાઈ, મહેબૂબ ભાઈ ખીજડિયા, સાયરા બેન, ઇસ્માઇલ ભાઈ દલડી મહેબૂબ ભાઈ લુણસરિયા, ઇલમૂદિન કડીવાર, મંજુર શેરસિયા, યાકુબ શેરસિયા, વગેરે જેવા વીસ જેટલા ગ્રાઉન્ડ લેવલના કાર્યકરો જોડાતા મહંમદ જાવેદ પીરઝાદા અને શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરસરા, ડોક્ટર રૂક્મુદીન માથકીયા, વનરાજભાઈ રાઠોડ સહિત સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા હૃદયપૂર્વક આવકારી અભિનંદન પાઠવ્યા હતા અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી તેમજ આવતા ટૂંક સમયમાં સંગઠન મજબૂત બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવશે જેમાં કોંગ્રેસ પરિવારને મજબૂત કરવા માટે જોડાવા માંગતા તમામ લોકોને આવકારવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments