Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં સેનાના પૂર્વ જવાનો સાથે અનાથાશ્રમના બાળકો...

હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં સેનાના પૂર્વ જવાનો સાથે અનાથાશ્રમના બાળકો વિઘ્નહર્તાની આરતી ઉતારશે

મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9:00 વાગ્યે ભારતીય સેના ના પૂર્વ જવાનો સાથે અનાથાશ્રમ ના બાળકો દાદા ની આરતી ઉતારશે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં  દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા  ગણેશ મહોત્સવમાં ભારતીય સેના ના જવાનો સાથે અનાથાશ્રમ ના બાળકો ના હસ્તે દાદા ની આરતી ઉતારવા માં આવશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાત માં પ્રખ્યાત એવા ગુજ્જુ દયાભાભી હાસ્ય ની રમઝટ સાથે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે . આ ગુજ્જુ દયાભાભી ના હાસ્ય શો ને નિહાળવા દરેક લોકો ને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments