મોરબી તાલુકાના મકનસર ગામના સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી બાંધી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેપરા ગામના વતની અને હાલમાં મકનસર ગામે બેન્ક ઓફ બરોડા વાળી શેરીમાં રહેતા શંકરભાઇ સવાભાઈ સત્રોટિયા ઉ.62 નામના વૃદ્ધે આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.








