મોરબી : મોરબીના રફાળેશ્વર ફાટક પાસે ટ્રેન હડફેટે આવી જતા મોરબીના રહેવાસી યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકને અગાઉ અકસ્માતમાં માથામાં ઇજા થઇ હોય માનસિક સંતુલન ગુમાવી દેતા આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.
મોરબીના રફાળેશ્વર ફાટક પાસે ગઈકાલે સવારના સમયે ટ્રેન હડફેટે આવી જતા એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે તપાસ કરતા આ યુવક મોરબીના શોભેશ્વર રોડ ઉપર વાણીયા સોસાયટીમાં રહેતો વિક્રમભાઈ દુર્લભજીભાઈ શંખેસરિયા ઉ.25 હોવાનું સામે આવ્યું હતું. વધુમાં યુવકને અગાઉ અકસ્માતમાં માથામાં ઇજા થઇ હોવાથી માનસિક સ્થિતિ સારી ન હોવાનું ખુલ્યું હતું.હાલ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










