મોરબી : સરકારના સ્વચ્છતા અભિયાન અન્વયે વાંકાનેર નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં એક કલાક એક સાથે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ સભ્યશ્રી કેસરીદેવસિંહ ઝાલા, ચીફ ઓફિસર ગિરીશ કુમાર સરૈયા, ઝોનલ મેનેજર તોસિફભાઈ, સિટી મેનેજર તથા નગરપાલિકા સ્ટાફ અને તમામ વોર્ડના સભ્ય તથા પ્રજાજનો દ્વારા શ્રમદાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.











