મોરબીમાં ૯ વર્ષના નાના બાળક દ્વારા નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે કરાતા ઉપવાસ. નાનકડો એવો કેયૂર અમૂલભાઈ જોષી નવરાત્રીમાં માતાજીના ગુણગાન ગાવાની સાથે સાથે ઉપવાસ કરે છે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું જોડાણ જ સમગ્ર વિશ્વને પણ ભારત તરફ ખેંચે છે. આવનારી યુવા પેઢીમાં પુસ્તકોના શિક્ષણની સાથે સાથે મૂલ્યલક્ષી શિક્ષણ પ્રાપ્ત થાય એ આજના સમયની જરૂરિયાત છે. બાળકોનુ ધર્મ અને શાસ્ત્રો સાથેનું જોડાણ એ માનવતા અને નૈતિકતા જેવા સદગુણો વિકસાવે છે એવું નાના કેયુરનું માનવું છે











