મોરબીમાં આજે તારીખ 22ને બુધવારના રોજ સાંજે 5:30 કલાકે પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન પણ કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં પધારવા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ ડો.બી.કે.લહેરુ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ આર.કે ભટ્ટ અને પરશુરામ ધામ મોરબીના પ્રમુખ હસુભાઈ પંડ્યા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.











