મોરબી: શ્રી શિવનગર ગરબી મંડળ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાન ઐતિહાસિક નાટક ‘મહારાણા પ્રતાપ’ રજૂ કરવામાં આવશે. તેમજ પેટ પકડીને હસાવતું મનોરંજક કોમિક પણ છે. કાર્યક્રમનું આયોજન આગામી શનિવાર, તારીખ 25-10-2025ને શનિવારના રોજ રાત્રે 10:00 કલાકે કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનનું સ્થળ રામજી મંદિર ચોક, શિવનગર (પંચાસર) રાખવામાં આવ્યું છે. શિવનગર ગરબી મંડળ દ્વારા આ નાટક અને કોમિક માણવા માટે કલાપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











