મોરબી : માળીયા મિયાણા તાલુકાના રોહિશાળા ગામે રાજેશભાઇ છગનભાઇની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વજીપુર ગામના વતની વાણસીબેન જેન્તીભાઈ નાયક ઉ.વ.16 નામની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગત તા.4ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન તા.15ના રોજ મૃત્યુ નિપજતા માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.








