મોરબી: મોરબી નિવાસી પ્રહલાદભાઈ પરસોતમભાઈ બુદ્ધદેવ (ઉં.વ 67) તેઓ સ્વ. પરસોતમભાઈ મેઘજીભાઈ બુદ્ધદેવ (ટંકારા વાળા) ના પુત્ર, મિહિરભાઈ તથા રિશ્તાબેનના પિતા, તેમજ ડો.અશ્વિનભાઈ, દીપકભાઈ તથા મીનાબેન રાજેશભાઈ ભોજાણી(જુનાગઢ) ના મોટાભાઈ તથા સ્વ. વલ્લભદાસ ગીરઘરલાલ રાજાના જમાઈ તેમજ ભરતભાઈ તથા સુજીતભાઈના બનેવીનું તા. 27-11-2025 ના રોજ રાત્રે 11:30 વાગ્યે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તા. 01/12/25 ને સોમવારનાં રોજ સાંજે 4:00 થી 6:00 લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.









