મોરબી : મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા સંજનાબેન નંદલાલભાઈ રાજપરા નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.








