મોરબી જિલ્લા ભાજપના અગ્રણી દ્વારા મોરબી તાલુકાના બે રોડ હાલ બિસ્માર હાલતમાં હોય તેના સમાર કામ માટે કલેક્ટર તંત્ર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી.
આ રજુઆતમાં મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય પટેલ દ્વારા જણાવાયુ હતું કે મોરબી તાલુકાના ગોર ખીજડીયાથી નારણકા તથા નવાગામ લગધીરનગરથી અદેપર સુધીનો રોડ અત્યારે ખરાબ હાલતમાં છે. અહીંથી મોટા પ્રમાણમાં લોકોની અવરજવર હોય તાત્કાલિક રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ છે. જેથી લોકોને હાલાકી દૂર થાય.









