મોરબી : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મોત્સવ એટલે કે રામ નવમી નિમિત્તે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા દર વર્ષે મોરબીના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ શોભાયાત્રાના સુવ્યવસ્થિત આયોજન માટે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠક આગામી તારીખ ૧૧/૦૩/૨૦૨૬ ને બુધવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે અયોધ્યાપુરી રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે યોજાશે. આયોજકો દ્વારા જણાવાયું છે કે બેઠક રાત્રે ૯:૩૦ કલાકે ચોક્કસ સમયે શરૂ થઈ જશે, તેથી સર્વેએ સમયસર ઉપસ્થિત રહેવું. બેઠક પૂર્ણ થયા બાદ સૌ માટે અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
આગામી તહેવારની ઉજવણીની રૂપરેખા તૈયાર કરવા માટે આ બેઠકમાં તમામ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ, હિન્દુ સમાજના અગ્રણીઓ અને વિવિધ એસોસિએશનના મોભીઓને અચૂકપણે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.










