મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૨૮ ને શનિવારે સાંજે ૧૦૬.૬૫ કરોડના વિકાસકાર્યોનો ખાતમુર્હત કાર્યક્રમ યોજાશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૨૮ ને શનિવારે સાંજે ૪ કલાકે પંચમુખી હનુમાન મોરબી ૨ ખાતે ૧૦૬.૬૫ કરોડના વિકાસકાર્યોના ખાતમુર્હત કાર્યક્રમ યોજાશે જેમાં રાજ્યકક્ષા મંત્રી કાન્તીભાઈ અમૃતિયા, રાજ્યકક્ષા મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, સાંસદ પરષોતમભાઈ રૂપાલા, રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે











