Friday, April 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં ૮૨ વર્ષીય વૃદ્ધનું ઉલટી થયા બાદ મોત

વાંકાનેરમાં ૮૨ વર્ષીય વૃદ્ધનું ઉલટી થયા બાદ મોત

વાંકાનેરના વીશીપરા વિસ્તારમાં રહેતા એક ૮૨ વર્ષીય વૃદ્ધનું તેમના નિવાસસ્થાને ઉલટી થયા બાદ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ, વાંકાનેરના વીશીપરા વિસ્તારમાં રહેતા રામજીભાઇ જીવણભાઇ ધરજીયા (ઉંમર વર્ષ ૮૨), જેઓ નિવૃત જીવન જીવતા હતા, મૃતક જ્યારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક તેમને ઉલટી અને ઉબકા થવા લાગ્યા હતા, જેના કારણે તેમનું અવસાન થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ ઘટના નિવાસસ્થાને બની હતી. વાંકાનેર સીટી પોલીસે આ અકસ્માત મોતના બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments