હાલની NEET ના વિદ્યાર્થીઓની વિકટ – સંકટમય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહ અને આત્મવિશ્વાસને જાળવી રાખવા માટે રાજકોટના બેસ્ટ કાઉન્સેલર Pratik Kachhadiya Sir દ્વારા *મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓ માટે આફત નહીં… પરંતુ નવો ‘અવસર મળ્યો છે….. તેમજ આ વિરામ નહીં પરંતુ વિજય મેળવવા માટેની તૈયારીનો સમય છે. એવું ઘણા બધા ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને Re-Exam માટે મોટીવેટ કરવામાં આવ્યા. તેમજ નવી સુવર્ણ તક .. નવી તૈયારી .. નવા ઉત્સાહ સાથે તમારી મનગમતી કોલેજમાં એડમિશન મેળવી તમારા MBBS ના સ્વપ્નને સાકાર કરો. તેમજ પ્રતીકભાઈ એ જણાવ્યું હતું કે તમે નસીબદાર છો કે આવી સ્કૂલ તમને મળી છે કે જે તમારો અભ્યાસ પૂરો થયા પછી પણ વિધાર્થીઓ ની ચિંતા કરે છે
હું આ સંસ્થા,સંચાલક અને પ્રિન્સિપાલને ખૂબ ખૂબ અભિનન્દન આપું છું સેમિનાર પછી વિધાર્થીઓ માં અલગ જ પ્રકારની ચેતના નો સંચાર થયો હતો અને નવા જોમ જુસ્સા સાથે વિધાર્થીઓ તૈયારી માં લાગી જશે નવયુગ અને જ્ઞાનમંજરી અને સમગ્ર ટીમ સાથે મળી ને વધુ સારું રિઝલ્ટ ની ખાતરી આપી હતી તેમજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સુપ્રિમો પી. ડી. કાંજીયા સર દ્વારા બધા વિદ્યાર્થીઓને શુભેરછા આપવામાં આવી હતી











