મોરબી-2 માં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા અને જયઘોષ કરવામાં આવ્યો
મોરબી : અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP) મોરબી નગર દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. છાત્ર સંગઠન ABVP ના મોરબી નગરના કાર્યકર્તાઓ દ્વારા મહારાણા પ્રતાપને અંજલિ આપવામાં આવી હતી. મોરબી-2 માં આવેલા મહારાણા પ્રતાપ સર્કલ ખાતે કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને ગર્વભેર જયઘોષ સાથે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.












