ખેડૂત આંદોલનને સમર્થન આપવા મોરબીની બહેનો પણ આગળ આવી છે. બહેનો દ્વારા રવિવારે એક્ટિવા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહેનો મોટી સંખ્યામાં એક્ટિવા લઈ શ્રી સરદાર સ્ટેચ્યુ,નવા બસસ્ટેન્ડ, મોરબી ખાતે એકત્ર થશે. ત્યાંથી બપોરે 3 વાગ્યે રેલીનું પ્રસ્થાન થશે. આ રેલી બપોરે 4 વાગ્યે મહેન્દ્રનગર ચોકડી પહોંચશે. ત્યાંથી 5 વાગ્યે જેતપર ઉપવાસ છાવણી પહોંચશે. આ રેલીમાં હજારોની સંખ્યામાં બહેનો જોડાવાની છે.











