મોરબી ડેઈલી:’સેવા પરમો ધર્મ’ ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરનાર યુવા આગેવાન તથા અનેક સેવાકીય સંગઠનો સાથે જોડાઈ સમાજસેવાના વિવિધ કાર્યોમાં સક્રિય અને યુવા આગેવાન આર્યન ત્રિવેદી ના ૨૫ માં જન્મદિવસ નિમિતે અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી, આ અવસરે આર્યન ત્રિવેદીએ બોડાસર આંગણવાડી કેન્દ્ર ખાતે અભ્યાસ કરતા નાના બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કરી તેમના જન્મદિવસ ની ઉજવણી કરી હતી, બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી પેન, પેન્સિલ, નોટબુક સહિતની ઉપયોગી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી…











