મોરબી : હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં હસમુખ પ્રભુભાઈ દલવાડીની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા પાંડયાભાઈ તડવીની 3 વર્ષની પુત્રી દેવકીનું કોઈપણ કારણોસર નર્મદા કેનાલમાં પડી જવાથી ડૂબી જતા મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ઘરી છે.