મોરબી : વિધાર્થી નેતા અખિલ ભારતીય વિધાર્થી પરિષદના પૂર્વ ગુજરાત પ્રદેશના સહ મંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશનના મેન્ટર સંદિપસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેઓ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.ત્યારે પોતાના જન્મદિવસ ની ઉજવણી કંઈક અલગ રીતે કરી સમાજમાં સંદેશ આપવાના હેતુ વિવિધ કાર્યક્રમો યોજાયા તેમાં રક્તદાન કેમ્પ યોજાયો જેમાં ૬૫ મોરબી માળિયા વિધાનસભા લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હાજરી આપીને ઉત્સાહ વધાર્યો આ રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલ એકત્ર કરવામાં આવી હતી ત્યારબાદ શહેરની મધ્યમાં આવેલા સરદારબાગ ખાતે વુક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો. એ ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચાલતી પરિષદ કી પાઠશાળા શાળાના બાળકો સાથે નાસ્તો કરાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.



