મોરબીના આહીર અગ્રણી અને મોરબી શહેર ભાજપના મંત્રી ભરતભાઈ ડાંગરનો આજે જન્મ દિવસ છે. મિલનસાર સ્વભાવ ધરાવતા ભરતભાઈ ડાંગર પોતાના દરેકને મદદરૂપ થવાના સદગુણથી ભારે લોકચાહના ધરાવે છે અને નાનપણથી જ તેઓમાં બીજાને મદદરૂપ થવાની ભાવના વિકસી હોવાથી સેવા કાર્ય કરવા માટે જાહેર જીવનમાં આવ્યા છે અને ભાજપમાં જોડાયા બાદ લોકોના પ્રશ્નોને વાચા આપી પક્ષને મજબૂત બનાવમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.આવા સેવાભાવી અને નિષ્ઠાવાન યુવાનને તેમના જન્મદિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.









