મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલ અરનાથ મહાદેવ મંદિર પાસેથી અજાણ્યા તસ્કરે એક બાઈકની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. 7ના રોજ ફરિયાદી મહાદેવભાઈ રેવાભાઈ રંગપરિયા (ઉ.વ. 61), રહે. હરિગુણ સોસાયટી, મહેન્દ્રનગર, મોરબીની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું મોટરસાયકલ નંબર GJ-03-HN-3537 મંદિર પાસે પાર્ક કરેલું હતું. દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ બાઈક ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.








