Sunday, May 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના ખાખરાળા ગામે યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા

મોરબીના ખાખરાળા ગામે યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા

મોરબીના ખાખરાળા ગામે એક યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જાણ થતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના ખાખરાળા ગામે રબારી વાસમાં આજે રાત્રીના સમયે કિશન જગદીશભાઈ કરોતરા ઉર્ફે કાનો નામના આશાસ્પદ યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા થઈ છે. આ યુવાન 22 વર્ષનો હતો અને તે રાજકોટ બીએડનો અભ્યાસ કરી રહ્યો હતો. આ સાથે તે જીપીએસસીની તૈયારી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ યુવાન વેકેશન હોવાથી બે દિવસ પૂર્વે જ ગામમાં આવ્યો હતો. તેની હત્યા બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. વધુમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments