Monday, July 21, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત ફળી : મોરબી-માળિયા ગ્રામ્ય વિસ્તારમાં 8 નવા પુલના...

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત ફળી : મોરબી-માળિયા ગ્રામ્ય વિસ્તારમાં 8 નવા પુલના કામ માટે જોબ નંબર ફાળવાયા

મોરબી : માળીયા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં સાત તથા મોરબી તાલુકામાં એક મળી મકાન વિભાગ હસ્તક 8 નવા પુલ બનાવવા માટે રૂ.11.00 કરોડના કામના જોબ નંબર ફાળવાયા છે. આ પુલ નવા બનતા હવે વાહનવ્યવહાર સરળ બનશે.

મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માળીયા તાલુકામાં (1) રાસંગપર- મેઘપર- દેરાળા- મહેન્દ્રગઢ રોડનો એક ભાગ (2) રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢ નો બીજો ભાગ (3) ખાખરેચી-વેણાસર રોડ (4) માણાબા-સુલતાનપુર-ચીખલી રોડ (6) એસ.એચ.થી ખીરસરા એપ્રોચ રોડ (7) સ્ટેટ હાઇવે થી નાના દહીસરા એપ્રોચ રોડ તથા મોરબી તાલુકાના રવાપર(નદી) થી સાદુળકા રોડ એમ કુલ 8 રોડના હયાત કોઝવે તથા સાંકળ નાળા પર નવા પુલ બનાવવાની કામગીરી માટે રૂ. 11.00 કરોડના જોબ નંબર ફાળવાયા છે. આ રોડ પર બોક્સ કલવર્ટ અને બોક્સ સેલ બનાવાથી વાહન ચાલકોને ખૂબ અનુકૂળતા રહેશે. મંજૂરીથી સંબંધિત ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાયેલી છે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments