Tuesday, April 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 20 જુલાઈએ લોહાણા સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓ માટે વેવિશાળ માહિતી કેન્દ્ર...

મોરબીમાં 20 જુલાઈએ લોહાણા સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓ માટે વેવિશાળ માહિતી કેન્દ્ર શરૂ થશે

મોરબી : મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે આગામી તારીખ 20 જુલાઈને રવિવારથી લોહાણા સમાજના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રનો શુભારંભ થવા જઈ રહ્યો છે.

આ વેવિશાળ માહિતી કેન્દ્ર દર રવિવારે સાંજે 5 થી 7 કલાક દરમિયાન કાર્યરત રહેશે. શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર તદ્દન નિઃશુલ્ક રહેશે. વેવિશાળ કેન્દ્રનું સંચાલન હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ-લોહાણા મહાજન-મોરબી) મો.9879218415, કાશ્મીરાબેન કારીયા મો.6353550095, પપ્પુભાઈ ચંડીભમર (પૂર્વ પ્રમુખ- રઘુવંશી યુવક મંડળ-મોરબી) મો.9879355410, સુનિલભાઈ પુજારા મો. 9879396620, નરેન્દ્રભાઈ પાઁઉ મો.9574083111, અનિલભાઈ ગોવાણી મો.9033348062 દ્વારા કરવામાં આવશે. માહિતી કેન્દ્ર માત્ર લોહાણા સમાજના યુવક-યુવતીઓ માટે જ કાર્યરત રહેશે. લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓના વાલીઓએ દર રવિવારે સાંજે 5 થી 7 કલાક દરમિયાન જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments