ધજા દિઠે ઘણી સાંભળે દેવળ દિઠે દુઃખ જાય. દર્શન કરતા રામાપીરના પંડના પાપ મટી જાય !
વાંકાનેર : તાલુકાના રૂપાવટી ગામે શ્રી રામાપીરના મંદિર ખાતે ભવ્ય મહોત્સવ આગામી ભાદરવા સુદ ૧૦ ને મંગળવારને તા.૦૨.૦૯.૨૦૨૫ના દિવરો રાખેલ છે. તો આ શુભ અવસરે શ્રી રામદેતપીરના દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા ભક્તોને રૂપાવટી ગ્રામજનો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તા. ૨ ને મંગળવારના રોજ મહોત્સવમાં ધજા ચઢાવવામાં આવશે તેમજ દેગ ચડાવવામાં આવશે તેમજ રામામંડળ રમશે સાથે જ ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સંતો મહંતોના સામૈયા કરાશે તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ ધાર્મિક પ્રસંગે મહંત ભરતદાસજી મહારાજ શ્રી રઘુનાથજી મંદિર વાંકાનેર , શ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદ ,મહંત દુર્ગાદાસજી મહારાજ લાલજી મહારાજની જગ્યા સાયલા , મહંત હરીરામ બાપુ સતરંગની જગ્યા તથા શ્રી રામદેવપીર મંદિર – રૂપાવટી સહિતના સંતો મહંતો મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.
રાત્રિના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેજલબેન ગોંડલીયા (ભજનીક) ,ઝોરૂભાઈ ડોડીયા (હાસ્ય કલાકાર) , વર્ષાબેન તલસાણીયા (ભજનીક) , રાજુભાઈ સાકરીયા (ભજનીક)સહિત નામી કલાકારો સુરાવલી રેલાવશે. તો આ ધાર્મિક પ્રસંગે ધર્મપ્રેમી પ્રજાજનોને પધારવા સમસ્ત રૂપાવટી ગ્રામજનો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.












