Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાની નવી દ્વારકાધીશ શાળામાં દુર્લભજી દેથરીયાની હાજરીમાં હમારા વિદ્યાલય હમારા સ્વાભિમાન કાર્યક્રમ...

ટંકારાની નવી દ્વારકાધીશ શાળામાં દુર્લભજી દેથરીયાની હાજરીમાં હમારા વિદ્યાલય હમારા સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો

મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા ભારત ભરની 5 લાખ શાળાઓની સાથે સાથે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં “આપણી શાળા- આપણું સ્વાભિમાન” નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ કરવામાં આવેલ છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને એ માટે સંકલ્પ લેવામાં આવ્યો, આ સંકલ્પ માત્ર શબ્દો પૂરતો મર્યાદિત નથી, પરંતુ શાળા જીવનને ગુણવત્તા સભર, પ્રેરણાદાયી અને રાષ્ટ્રીય હિતમય બનાવવા માટેનો જીવંત દસ્તાવેજ છે.

શાળાને સ્વચ્છ, શિસ્તબદ્ધ હરિયાળી અને પ્રેરણાદાયી બનાવવાનો સંકલ્પ, શાળાની સંપત્તિને રાષ્ટ્રીય સંપત્તિ માની તેનું રક્ષણ કરવાની ભાવના અને સમભાવથી શીખવા – શીખવવાની પ્રતિબદ્ધતા આ બધું શિક્ષણના સાચા અર્થને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે. શિક્ષકને જ્ઞાનના સ્ત્રોત સાથે સાથે ચારિત્ર્ય નિર્માણ અને સમાજ સેવાના પ્રેરક તરીકે માન્યતા આપવી,તેમજ શાળાને સંસ્કાર અને સમર્પણનું તીર્થ ગણાવી તેનું ગૌરવ વધારવા સતત પ્રયત્નશીલ રહેવાની ભાવનાએ આપણાં શિક્ષણતંત્રની આત્મા છે, આ વિશ્વાસને આ સંકલ્પ સૌના વ્યક્તિગત સામાજિક અને રાષ્ટ્રીય વિકાસના માર્ગે દ્રઢપણે આગળ વધવા પ્રેરિત કરશે, રાષ્ટ્ર નિર્માણનો સાચો આધાર આધાર શિક્ષણ છે,અને આ અભિયાન એ દિશામાં એક પ્રેરણાદાયી પગલું છે,

“આપણી શાળા-આપણું તીર્થ બને, આત્મ-અભિમાન બને, રાષ્ટ્ર નિર્માણનો આધાર બને એ માટે જેમના અથાગ પ્રયત્નો થકી નવી દ્વારકાધીશ શાળા શરૂ થયેલ છે એવા દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતમાં ગાયત્રીનગર અને દ્વારકાધીશ બંને શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંકલ્પ લીધો હતો.આ પ્રસંગે તાલુકાના હોદેદારોની હાજરીમાં હિતેશભાઈ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી તેમજ દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્યે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રેરણાદાયી વાતો કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments