મોરબીના ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા કેટલાક વિસ્તારોમાં આવતીકાલે, 10 સપ્ટેમ્બરને બુધવારના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં કેરાળા જે.જી.વાય., રાજા એન્ડ એરિકોન ઇન્ડ. ફીડર સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી બંધ રહેશે. જેના કારણે હરીપર અને કેરાળા ગામો તેમજ આ ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.










