Sunday, June 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની નીલકંઠ રેસિડેન્સી રસ્તા પર પાણીના નિકાલ ન થતાં સ્થાનિકોને પારાવાર મુશ્કેલી

મોરબીની નીલકંઠ રેસિડેન્સી રસ્તા પર પાણીના નિકાલ ન થતાં સ્થાનિકોને પારાવાર મુશ્કેલી

મોરબીમાં નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસિડેન્સી પાસે રસ્તા પર પાણીનો નિકાલ ન થતો હોવાથી આસપાસના રહીશો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસિડેન્સી પાસે રસ્તા કેટલાક સમયથી રોડ રસ્તાની કામગીરી કરવામાં આવતી હતી. આ કામગીરી છેલ્લા 25 દિવસથી બંધ હોવાથી વરસાદનું પાણી આ રસ્તા પર ભરાઈ ગયું હતું. જેના કારણે લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પર પાણી ભરાઈ જતા અનેક લોકો પાણીમાં પડ્યા હોવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તાની કામગીરી કરવા માંગ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments