મોરબી: સમાજસેવા અને રાષ્ટ્રપ્રેમના સચોટ પ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટી મોરબી શહેર કારોબારી સભ્ય તથા રાજનગર યુવા ગ્રુપ, સનાતન યુવા ગ્રુપ અને મચ્છુ કાંઠા વ્યાસ યુવા ગ્રુપના અગ્રણી શ્રી પ્રયાગભાઈ ભોરણીયાનો જન્મદિવસ ઉત્સાહ અને હર્ષોલ્લાસથી ઉજવાયો.
તેઓ હંમેશાં સમાજ અને યુવાનોના હિતને પ્રાથમિકતા આપીને અનેક લોકહિતના કાર્યો પાર પાડ્યાં છે. તેમના નેતૃત્વમાં યુવા પેઢીને પ્રેરણા, સમાજને માર્ગદર્શન અને સંગઠનને નવી દિશા મળી છે. સદાય સક્રિય, સેવાભાવી અને પ્રગતિશીલ વિચારો ધરાવતા એવા આદર્શ યુવા નેતા તરીકે તેમનું વ્યક્તિત્વ સર્વત્ર આદરણીય છે. આજ તેમના જન્મદિવસ નિમિત્તે કાર્યકર્તાઓ, અગ્રણીજનો તથા નાગરિકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી અને પરમાત્મા તેમને દીર્ઘાયુ, તંદુરસ્તી તથા સમાજસેવાના માર્ગે સતત અગ્રેસર રહેવા શક્તિ આપે તેવી પ્રાર્થના….











