મોરબીના શનાળા રોડ પર આવેલી નક્ષત્ર હોસ્પિટલ દ્વારા નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખનારા લોકો માટે ખાસ હેલ્થ ટિપ્સ જાહેર કરવામાં આવી છે. હોસ્પિટલ તરફથી જણાવાયું છે કે ઉપવાસ દરમિયાન શરીરમાં ઉર્જા જળવાઈ રહે તે માટે સવારે દહીં, ફળો અને બદામનો સેવન કરવો જોઈએ તેમજ આખા દિવસ દરમિયાન ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. સાથે જ તળેલી અને ગળી વસ્તુઓ ઓછી ખાવાની સલાહ આપવામાં આવી છે. નિષ્ણાતો મુજબ ઉપવાસ કરનારોએ નિયમિત ૭ થી ૮ કલાકની ગાઢ ઉંઘ લેવી, શ્વાસ લેવાની કસરત કરવી અને ઘરના ભારે કામકાજથી દૂર રહેવું જોઈએ. નક્ષત્ર હોસ્પિટલનું કહેવું છે કે આ ટિપ્સનું પાલન કરવાથી ઉપવાસ દરમિયાન તંદુરસ્તી જળવાઈ રહે છે અને થાક અનુભવાતો નથી.











