Sunday, June 14, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીથી ચોટીલા પગપાળા જતા કાંતિભાઈ અમૃતિયા પરિવારનું અભિવાદન કરતા લોહાણા સમાજના અગ્રણીઓ

મોરબીથી ચોટીલા પગપાળા જતા કાંતિભાઈ અમૃતિયા પરિવારનું અભિવાદન કરતા લોહાણા સમાજના અગ્રણીઓ

મોરબી : મોરબીથી ચોટીલા પગપાળા માઁ ચામુંડાની આરાધના માટે જતા મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના પરિવારનું મોરબી જલારામ ધામ તથા લોહાણા સમાજના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સહીતનાં અગ્રણીઓએ અભિવાદન કર્યું હતું.

મોરબીથી ચોટીલા પગપાળા કુળદેવી માઁ ચામુંડાની આરાધના માટે મોરબી-માળીયા ૬૫-વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા તેમના પરિવારે પદયાત્રા નો પ્રારંભ કર્યો છે ત્યારે વાંકાનેર મુકામે તેમનુ રાત્રી રોકાણ પ્રજ્ઞેશભાઈ પટેલ ના વ્યવસાયિક પ્રતિષ્ઠાન ખાતે રાખવામાં આવેલ છે, ત્યારે મોરબી ના જુના જનસંઘી, કાંતિભાઈ અમૃતિયા ના શુભચિંતક એવા મોરબી લોહાણા મહાજન ના પ્રમુખ તથા જલારામ ધામ-મોરબી ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા જલારામ ધામ-મોરબી ની ટીમે વાંકાનેર મુકામે અમૃતિયા પરિવાર ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મોરબી જલારામ ધામ ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, પારસભાઈ ચગ, ચિરાગભાઈ રાચ્છ, સી.ડી.રામાવત સહીતના અગ્રણીઓએ સંતો-મહંતો ની પ્રેરક ઉપસ્થિતી માં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, તેમના સુપુત્ર પ્રથમભાઈ અમૃતિયા સહીતના અમૃતિયા પરિવાર ના સદસ્યો તેમજ પ્રજ્ઞેશભાઈ પટેલ સહીતના અગ્રણીઓનુ શાલ ઓઢાળી અભિવાદન કર્યુ હતુ તેમજ તેમની પદયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થાય, માઁ ચામુંડા તેમના પરિવાર ની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments