મયુર રાવલ, હળવદ
પીજીવીસીએલ વિભાગીય કચેરી, હળવદ દ્વારા ડિસેમ્બર–2025 દરમિયાન ઉર્જા સંરક્ષણ અને ઉર્જા બચત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉર્જા બચત અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને વીજ બચત અને કુદરતી સંસાધનોના સમજદારીપૂર્વકના ઉપયોગ માટે પ્રેરિત કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ અભિયાન, પેમ્પલેટ વિતરણ, શાળાઓમાં સેમિનાર અને સ્પર્ધાઓ, તેમજ ઉર્જા બચત રેલી સહિતના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.



















