મોરબી શહેરના રફાળેશ્વર નજીક ભડિયાદ રોડ ઉપર જીઓ ટેક કારખાના પાસે ગઈકાલે રાત્રે તળાવમાં એક અજાણ્યો વ્યક્તિ ડૂબી ગયો હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ તળાવમાં પડી ગયેલ વ્યક્તિને રેસ્ક્યું કરી જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો. મોરબી ફાયર ટીમે બોટ વડે વ્યક્તિની શોધખોળ હાથ ધર્યા બાદ સતત મહેનત બાદ ડૂબેલ વ્યક્તિને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો.











