મોરબી: દેશની સેવામાં વીરગતિ પામેલા મોરબીના સપૂત, શહીદ વીર ગણેશભાઈ મનસુખભાઈ પરમારના પરિવારને આઈ શ્રી ખોડીયાર રામામંડળ રાસંગપર દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આર્થિક સહાય કરવામાં આવી છે. રામામંડળના સભ્યોએ શહીદ ગણેશભાઈના પરિવારની મુલાકાત લઈ તેમને શાંત્વના પાઠવી હતી. તેમજ શહીદ વીરની શહાદતને બિરદાવતા અને પરિવારને ટેકો આપવાના ઉમદા હેતુથી, રામામંડળે શ્રદ્ધાંજલિ રૂપે રૂ. 1,51,000 નું આર્થિક યોગદાન આપીને શહીદ પરિવાર પ્રત્યેની તેમની ફરજ નિભાવી હતી. શ્રી ખોડીયાર રામામંડળ રાસંગપરનું આ કાર્ય સામાજિક જવાબદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.











