મોરબી : વિશ્વ હિંદુ પરિષદ (VHP) માતૃશક્તિ દ્વારા મોરબીમાં પાંચમાં બાળ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળકોમાં નાનપણથી સંસ્કારનું સિંચન થાય તે માટે આ બાળ સંસ્કાર કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. આ બાળ સંસ્કાર કેન્દ્ર દર રવિવારે શરૂ હોય છે. હાલ પાંચ બાળ સંસ્કાર કેન્દ્રોમાં 1) ઉમિયાનગર, રવાપર રોડ 2) શક્તિ ટાઉનશિપ, રવાપર રોડ 3) ઉમા ટાઉનશિપ સામે કાંઠે 4) વાવડી રોડ, નિસર્ગ એપાર્ટમેન્ટ 5) પંચાસર રોડ, ન્યૂ ચંદ્રેશ સોસાયટી, સાર્વજનિક મેદાન ખાતે કાર્યરત છે. આ બાળ સંસ્કાર કેન્દ્રમાં જોડાવવા માટે મો.નં. 9313572647 પર સંપર્ક કરવા જણાવાયું છે.











