મોરબી શહેરના નેશનલ હાઇવે પર આવેલ સિરામિક સીટી વિસ્તારમાં રહેતા રાજેશભાઇ મેરામભાઈ જખોત્રા (ઉ. 35) નામના યુવાને ગઈકાલે સવારના આશરે 10 વાગ્યાના અરસામાં પોતાના જ ઘરમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા પરિવારજનો દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની માહિતી મળતા સીટી બી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ (એ.ડી.)ની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.










