મોરબી : અધ્યયન મંડળ મોરબી દ્વારા આગામી તારીખ 22 જાન્યુઆરી ને ગુરૂવારના રોજ રાત્રે 9 થી 10:15 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર નવા હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે 50મી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં “શિક્ષણમાં ભારતીયતા : વર્તમાન અને ભાવિ” (ભાગ-2) વિષય પર સૌરાષ્ટ્ર પ્રાંત અભિલેખાગાર પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ વક્તા તરીકે ઉપસ્થિત રહીને વક્તવ્ય રજૂ કરશે. અધ્યયન મંડળ મોરબી દ્વારા આયોજિત આ કાર્યશાળામાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.











