Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજન્મજાત કપાયેલા હોઠ-તાળવાની ખામી ધરાવતા બાળકો માટે રાજકોટમાં વિનામૂલ્યે ઓપરેશન

જન્મજાત કપાયેલા હોઠ-તાળવાની ખામી ધરાવતા બાળકો માટે રાજકોટમાં વિનામૂલ્યે ઓપરેશન

મોરબી : બાળકના ચહેરા પરનું સ્મિત તેના માતા-પિતા માટે દુનિયાનું સૌથી મોટું સુખ હોય છે, પરંતુ અનેક બાળકો જન્મજાત હોઠ કે તાળવાની ફાટ (Cleft Lip and Palate) જેવી ખામી સાથે જન્મે છે, જેના કારણે તેઓ ઈચ્છવા છતાં સ્મિત કરી શકતા નથી. આવી જ ખામી ધરાવતા જરૂરિયાતમંદ બાળકો માટે રાજકોટમાં એક પ્રશંસનીય સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. મોરબી જિલ્લાના અનેક બાળકોને આ સેવાનો લાભ મળ્યો છે.

પ્લાસ્ટિક સર્જન ડૉ. હિતેશ પી. ધ્રુવ દ્વારા જન્મજાત કપાયેલા હોઠ અને કપાયેલા તાળવાની ખામી દૂર કરવા માટે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે. આ સેવાકીય પહેલનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને સામાન્ય જીવન અને નવું સ્મિત આપવાનો છે. ઓપરેશન સંપૂર્ણપણે નિ:શુલ્ક. એનેસ્થેશિયા અને જરૂરી દવાઓનો કોઈ ખર્ચ નહીં. દર્દીને હોસ્પિટલમાં રહેવાની વ્યવસ્થા મફત. માત્ર 1 દિવસનું રોકાણ જરૂરી તજજ્ઞોની ટીમ આ સેવાકાર્યમાં જાણીતા નિષ્ણાતો પોતાની સેવા આપી રહ્યા છે:. મુખ્ય સર્જન: ડૉ. હિતેશ પી. ધ્રુવ (M.Ch. – પ્લાસ્ટિક સર્જન), સહયોગી ટીમ ડૉ. આસિત વૈષ્ણવ (M.D. – એનેસ્થેટિસ્ટ) અને ડૉ. વર્ષા ધ્રુવ (M.D., D.G.O. – ગાયનેકોલોજિસ્ટ) સેવા આપે છે. જો તમારી આસપાસ કોઈ આવું બાળક હોય જેને આ ઓપરેશનની જરૂર હોય, તો તેઓ જીમખાના મેઈન રોડ, જાગનાથ-1ની બાજુમાં, રાજકોટ ખાતે અથવા તેઓના ફોન નંબર: (0281) 2467990 પર સંપર્ક કરી શકે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments