માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલમાંથી ગઈકાલે બપોરના સમયે અંદાજે 34થી 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની કોહવાય ગયેલ લાશ મળી આવી હતી.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.








