મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 11-02-2026 ના રોજ વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેથી 66કેવી નીચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા મહાદેવ JGY સાથે તમામ ફીડર (નીચી માંડલ ગામ તથા આસપાસનો વિસ્તાર) સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.








