મોરબીમાં વર્ષ 2001 થી શિક્ષણ ક્ષેત્રે અતિગરીબ બાળકોને શિક્ષણ આપી રહેલ ડો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ૨૩૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ખાનગી શાળા હોવા છતાં જેમાં પિતા હયાત ના હોય તેવા આઠથી વધુ બાળકો વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જે કાર્યને સહયોગ આપવા માટે શ્રી કે.જી. કુંડારીયા સાહેબ ની પ્રેરણાથી વિન્ટેલ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ગોરધનભાઈ કુંડારીયા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમારને શિક્ષણ સહાયરૂપે એક લાખ રૂપિયા નો ચેક અર્પણ કરેલ જે પ્રસંગે અશ્વિનભાઈ સી પટેલ તેમજ શાળાના વહીવટદાર કે.આર.ચાવડા ઉપસ્થિત રહેલ, ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના તમામ બાળકો અને શિક્ષકોએ આ અમૂલ્ય દાનને બિરદાવી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ.












