મહત્તમ લાભ લઈ ખેડૂતોએ પોતાની ખેતીને આધુનિક બનાવવા તરફ આગળ વધવા જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત કૃષિ રાહત પેકેજમાં મોરબી ખેતીવાડી ટીમની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને ઉપસ્થિત ખેડૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ તકે ખેડૂતો માટે ખેતીવાડી, બાગાયત, પ્રાકૃતિક કૃષિ અને આરોગ્ય સહિત વિવિધ વિભાગ દ્વારા પ્રદર્શન સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા, જેની મહાનુભાવોએ પણ મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે.વી. પરસાણિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકએમ.એફ. ભોરણીયા, અને સંબંધિત વિભાગના અધિકારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.













