મોરબી:મોરબીની ધર્મપ્રેમી જનતા માટે આગામી સમયમાં ભક્તિ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. પવિત્ર અધિક માસ નિમિત્તે મોરબી ખાતે સુપ્રસિદ્ધ વક્તા પૂજ્ય શ્રી ભાણદેવજી ના વ્યાસપીઠે ‘શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ આધ્યાત્મિક મહોત્સવ વિશેની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ ખાતે આ કથાનું રસપાન કરાવવામાં આવશે. અધિક માસના પુણ્યશાળી દિવસોમાં યોજાનારી આ ભાગવત સપ્તાહમાં પૂજ્ય ભાણદેવજી પોતાની આગવી શૈલીમાં શ્રીકૃષ્ણ લીલા અને ભાગવતજીના ગૂઢ રહસ્યો ભક્તો સમક્ષ પીરસશે.
કથાનો સમય અને કાર્યક્રમ:
કથાનો શુભ પ્રારંભ તા. ૧૭/૦૫/૨૦૨૬, રવિવાર ના રોજ થશે અને તા. ૨૩/૦૫/૨૦૨૬, શનિવાર ના રોજ કથાનું વિરામ થશે. રાત્રિના સમયગાળા દરમિયાન ભક્તો ભક્તિનો આનંદ માણી શકે તે હેતુથી કથાનો સમય રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાકનો રાખવામાં આવ્યો છે.
• કથા પ્રારંભ: તા. ૧૭/૦૫/૨૦૨૬ (રવિવાર)
• કથા વિરામ: તા. ૨૩/૦૫/૨૦૨૬ (શનિવાર)
• સ્થળ: રામોજી ફાર્મ, કેનાલ રોડ, મોરબી.
આ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે આયોજકો દ્વારા સમસ્ત મોરબીવાસીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સેવાભાવી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
વધુ વિગત માટે સંપર્ક સૂત્ર:
કથા અંગેની વધુ માહિતી અથવા વિગત માટે મગનભાઈ ગામી (મો. ૯૯૨૫૭ ૨૭૧૭૬) તથા મગનભાઈ જેઠલોજા (મો. ૯૪૦૮૯ ૩૯૨૭૧) નો સંપર્ક કરવા જણાવાયું છે.









