મોરબી શહેરના ગ્રીન ચોક પાસે કંસારા શેરીમાં રહેતા અભેસિંહ કાનજીભાઈ ચૌહાણ ઉ.60 નામના વૃદ્ધ ગત તા.7ના રોજ પોતાના ઘેર કોઈ કારણોસર પડી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.








