કચ્છ-ભુજના યુવા પત્રકાર અને ગુજરાત ન્યૂઝ ના રિપોર્ટર પરેશભાઈ રાજગોરનો આજે જન્મદિવસ છે. પત્રકારત્વ ક્ષેત્રે તેઓ ઘણા વર્ષોથી સક્રિય રહી લોકોના પ્રાણપ્રશ્નોને વાચા આપી રહ્યા છે. નિષ્ઠા, પ્રામાણિકતા અને જવાબદાર પત્રકારત્વ માટે તેઓ ઓળખ મેળવવામાં સફળ રહ્યા છે.
પરેશભાઈ રાજગોરે પોતાના કાર્યકાળ દરમિયાન સામાજિક પ્રશ્નો, જનહિતના મુદ્દાઓ અને સ્થાનિક સમસ્યાઓને અસરકારક રીતે પ્રસ્તુત કરી લોકો અને તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી છે. તેમના કાર્યને સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશંસા પ્રાપ્ત થઈ રહી છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સગા-સંબંધીઓ, સામાજિક-રાજકીય આગેવાનો તેમજ બહોળા મિત્રવર્તુળ દ્વારા તેમના મોબાઈલ નંબર 97267 98851 પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. તેમના શુભેચ્છકોએ તેમના સુખદ, સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.











